20150217

મનુવર્યજી, Manuvaryaji


Manuvaryaji-
——————————————————————–
સમ્પર્ક
  • ૧૬, પ્રીતમનગર – એલિસબ્રિજ, અમદાવાદ -૩૮૦ ૦૦૬
  • ફોન – ૨૬૫૭ ૬૪૭૨
પૂર્વાશ્રમનું નામ
  • મનુભાઈ બ્રહ્મભટ્ટ
જન્મ
  • ૧૦, ફેબ્રુઆરી-૧૯૧૫; પાલા ગામ, જિ. મહેસાણા
અવસાન
  • ૫, ઓક્ટોબર-૨૦૦૦; અમદાવાદ
કુટુમ્બ
  • માતા-મણિબેન; પિતા- સીતારામ; ભાઈ – વિષ્ણુદેવ
શિક્ષણ
  • માધ્યમિક શિક્ષણ- વિરમગામમાં
  • વિજ્ઞાન અને સંસ્કૃત સાથે સ્નાતક- મુંબાઈમાંથી
વ્યવસાય
  • સમગ્ર જીવન યોગ સાધના અને તેના શિક્ષણમાં સમર્પિત
તેમના વિશે વિશેષ
  • પિતા એન્જિનિયર હતા.
  • ૧૯૩૬ – પ્રીતમનગર, એલિસબ્રિજ, અમદાવાદમાં ‘યોગ સાધના આશ્રમ’ની સ્થાપના
  • ૧૯૪૫- સમર્થ અવધૂત યોગીરાજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી કૃષ્ણાત્મજ મહારાજ પાસેથી અમદાવાદના મિલમાલિક શેઠ શ્રી અંબાલાલ સારાભાઈના નિવાસસ્થાને ચૈત્ર સુદ પૂનમને દિવસે અવધૂત દીક્ષા લીધી.
  • તેઓએ આશ્રમના સાધકવૃંદ સાથે બદ્રીકેદાર, ગંગોત્રી, જમનોત્રીની યાત્રા કરી હતી.
  • ૧૯૭૨ – અખિલ ભારત યોગ પરિષદ અમદાવાદમાં યોજવામાં મહત્વનું પ્રદાન
  • ૧૯૭૨ – આશ્રમના ત્રૈમાસિક મુખપત્ર ‘ યોગ નવનીત’ની શરૂઆત
  • માધ્યમિક શિક્ષણમાં યોગને પ્રાયોગિક ધોરણે એક વિષય તરીકે દાખલ કરાવવા માટે મહત્વનું યોગદાન
  • ૧૯૮૦ ‘વિશ્વાયતન યોગાશ્રમ’ અને સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઑફ રિસર્ચના વડા તરીકે નિયુક્ત થયા, તેથી તેઓને અમદાવાદ છોડી દિલ્હી રહેવા જવાનું થયું. પાછા અમદાવાદ આવી યોગાશ્રમનું સુકાન સંભાળ્યું.
  • ૧૯૭૯  – મહર્ષિ મહેશ યોગીના વિશેષ નિમંત્રણથી તેમનાં યુરોપનાં યોગકેન્દ્રનું નિરીક્ષણ કરવા તથા આશીર્વાદ આપવા ‘વિશ્વાયતન યોગાશ્રમ’ દિલ્હીથી સીલબર્ગમાં આવેલી મેરૂ યુનિવર્સિટીમાં ગયા. ત્યાંથી અનેક સ્થળોનાં યોગકેન્દ્રોમાં નિરીક્ષણ તેમજ પ્રવચનાર્થે ગયા.
  • ૧૯૮૨ – ચીન, રશિયા અને સ્વિટ્ઝરલેન્ડમાં યોગસંદેશ આપવા યાત્રા
  • ‘ગુજરાત રાજ્ય યોગશિક્ષણ સમિતિ’ના ઉપપ્રમુખ
  • આશ્રમની હાલની પ્રવૃત્તિઓમાં યોગઆસનો, પ્રાણાયામ, ધ્યાન, ભજન કીર્તન, સેમિનાર, યોગશિબિરો, રક્તદાનશિબિરો, યાત્રાઓ વગેરેનો સમાવેશ થાય છે. યોગસાધનઆશ્રમ તરફથી, જેલવાસીઓ, ઓફિસરો, પોલિસઅફસરો વગેરે માટે પણ અવાર નવાર યોગતાલીમ શિબિરો યોજાય છે.
રચનાઓ
  • યોગ અને ભક્તિ વિષયક અનેક પુસ્તકો અને લેખો
સાભાર
  • યોગ નવનીત – ડિસે-૨૦૧૪
  • શ્રી. અતુલ ભટ્ટ
  • ડો. કનક રાવળ