20140526

જામ રણજીતસિંહ

“The Prince of a state of India,
but the King of a great game.”
-
# જીવન ઝાંખી   -1-     -2- ______________________ – હરીશ દવે
નામ
જામ/ પ્રિન્સ –  રણજીતસિંહજી જાડેજા (જામનગરના જામસાહેબ/ મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર)
જન્મ તારીખ
સપ્ટેમ્બર 10, 1872
જન્મ સ્થળ
જામનગર પાસે સરોદર ગામે.
અવસાન
એપ્રિલ 2 -  1933, જામનગર.
કુટુમ્બ
પિતા – વિભાજી જાડેજા; ભત્રીજા દુલીપસિંહજી પણ જાણીતા ક્રિકેટર
અભ્યાસ
રાજકોટની રાજકુમાર કોલેજ માં માધમિક શિક્ષણ, હેરો અને ટ્રિનીટી કોલેજ કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) ખાતેથી સ્નાતક
જીવન ઝરમર
1888 અભ્યાસ-અર્થે કેમ્બ્રિજ ઈંગ્લેંડ, પ્રથમ કક્ષાના ક્રિકેટ રમવાની શરૂઆત સસેક્સ તરફથી એમ. સી. સી. વિરુદ્ધ – આ મેચના બે દાવમાં 77 અને 150 રન કર્યા, 1896 કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમ્યા – ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઈંગ્લેંડ(એમ. સી. સી.) તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ; તે મેચમાં પ્રથમ દાવમાં 32 તથા બીજા દાવ માં 154 રન કર્યા ; ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ભારતીય ; 1896 -સીઝનમાં 2780 રન કરી વિક્રમ નોંધાવ્યો, દસ સળંગ સીઝનમાં 1000 થી વધુ રન નોંધાવ્યા, 1904 -  આઠ સદી સાથે 2077 રન કર્યા; 1907 – નવાનગરની રાજ્યગાદી પર
ઇંડીયન ચે મ્બર ઓફ પ્રીન્સીસના ચાન્સેલર; પ્રથમ વિશ્વયુધ્ધ પછી લીગ ઓફ નેશન્સમાં ભારતના રાજાઓના પ્રતિનિધિ; રાજ્યમાં ઘણા પ્રજાને ઉપયોગી કામો પણ કર્યા
ટેસ્ટ કારકિર્દીમાં 15 ટેસ્ટમાં 44.95ની એવરેજથી 989 રન બનાવ્યા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 307 મેચમાં 500 દાવમાં 62 વખત નોટ આઉટ રહી, 56.37ની એવરેજથી, 72 સદી તથા 14 બેવડી સદી સાથે કુલ 24,692 રન કર્યા; ‘લેગ ગ્લાન્સ’ નામની બેટીંગની નવી શૈલીના પ્રણેતા
                        jam_ranjitsinhji_1.jpg
રચના
1897 – Jubilee book of cricket 
સન્માન
ગુજરાતના આ મહાન ક્રિકેટરની યાદમાં 1935 ની સાલથી ભારતની પ્રથમ કક્ષાની રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાને “રણજી ટ્રોફી” કહેવામાં આવે છે.