20130828

હોટલાઈન - ભાલચંદ્ર જાની

   The Choice of Words !!!

Santa Singh was traveling in a crowded bus. He was carrying the passport-size photograph of his son for college admission. Accidentally, the photograph dropped down from his pocket. He started searching for it frantically & found it on the floor below the ends of a woman's saree. 
He asked her, "Can you lift your saree? I want to take photograph"....
THE REST IS HISTORY....
He was beaten so badly that he had to be admitted to hospital. He was surprised to see Jaswant Singh on the next bed to him in a worse condition.
 
Jaswant Singh explained what happened to him. He had gone to a remote village to work. He finished late & missed the last bus. He couldn't find any hotel nearby.So he approached a nearby house & asked the owner whether he can stay there for a night. The owner replied "I have 2 grown-up daughters. Sorry, you can't stay here."
Then he approached the next house and asked the owner whether he can stay there for a night. The owner too replied "I have 3 grown-up daughters. Sorry u can't stay here."
So he went to the next house & asked "Do you have grown-up daughters?"
The owner asked "Why?" and Jaswant Singh replied, "I want to stay for a night."
THE REST IS HISTORY... boommmmmmmmmmmmm..!!!

The moral of the story is:
WORDS CAN SOMETIMES GET YOU INTO DEEP TROUBLE IF YOU DON'T USE THEM CORRECTLY ..............
It is not what the speaker Meant but The choice  of Words.

Watch "Thomas Kinkade" on YouTube

 
An artist friend of mine works for the deceased Thomas Kincaid - the world's richest artist - even though he died recently in his 50's
Arhata Osho


હોટલાઈન - ભાલચંદ્ર જાની

સંભાળજો, હાડકાંનું ધોવાણ કરી નાખતી બીમારી ઓસ્ટિયોપોરોસીસથી

અમારી  બીજી સ્ત્રીઓની માફક ૩૦ વર્ષની નમિતા પણ વારંવાર એક ફરિયાદ કરતી કે 'હું જરાક કામ કરું છું, થોડું ચાલું છું કે તરત હાંફી જવાય છે, પગમાં કળતર થાય છે, નબળાઈ વર્તાય છે.' શરીરમાં ખરી વ્યાધિ કઈ છે એની તો નમિતાને ક્યાંથી ખબર હોય. ઘરમાં સૌ વડીલો,  સગાં સંબંધીઓ એને એક જ વાતનું આશ્વાસન આપતા, કે હમણાં જ પ્રસૂતિમાંથી બહાર આવી છે. એટલે શરીરની ચુસ્તી સ્ફૂર્તિ આવતા થોડી વાર તો લાગે જ ને. બાકી ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ નમિતાની પીડા, થાક આવા આશ્વાસનોથી ઓછા થતા નહોતા.
અનેક જાતના બાહ્ય ઉપચાર કર્યા છતાં નમિતાની શારીરિક પીડા, થાક, ઉદાસીનતા ઓછા ન થયા. એટલું જ નહીં, દિવસે દિવસે હાડકામાં કળતર વધવા લાગ્યું.   પીઠના દર્દમાં પણ વધારો થયો. એકવાર બેઠા પછી ઊભી થવા જાય ત્યારે કમર અને વાંસામાં સખત પીડા થવા લાગતી. ધીરેધીરે આ તકલીફ વધવા માંડી. છ મહિનાની બેબીને રમાડવી હોય કે તેના બાળોતિયા ધોવા હોય, રસોઈકામ હોય કે ઘરનું અન્ય કોઈ કામ હોય, દરેક નાની-મોટી હિલચાલ નમિતા માટે અતિશય વેદનાકારક બની ગઈ.  ત્યાં સુધી કે જાતે કપડાં પહેરતી ત્યારે પણ સાંધામાં કળતર થતું. કમર,પીઠ અને પગમાં  સણકાં મારતા.
આ રીતે એક હસતી-રમતી યુવાન ગૃહિણીની દર્દનાક દાસ્તાન શરૃ થઈ. તેના વિચિત્ર  વ્યાધિનું નિદાન અને અસરકારક ઈલાજ કરવા નમિતા અને તેના પતિએ કંઈ કેટલાંય ડૉક્ટરોની સલાહ લીધી. ઓર્થોપેડિક સર્જયનોને મળ્યા. કોઈકે કહ્યું કે નમિતાને સંધિવા છે. કોઈકે નિદાન કર્યું સ્પોન્ડલાઈટીસ છે. તો એક તબીબે સ્નાયુની વિચિત્ર બીમારી લાગુ પડી હોવાનું જણાવ્યું અંતે બે વર્ષ પૂર્વે નમિતાને મુંબઈની એક મોટી હોસ્પિટલમાં સારવાર માટે વ્હીલચેરમાં બેસાડીને લઈ જવી પડી. જ્યાં એક સિનિયર તબીબ (એન્ડોક્રાયનોલોજિસ્ટ) દ્વારા નિદાન કરવામાં, આવ્યું કે નમિતાને 'ઓસ્ટિયોમલાશિયા' નામનો વ્યાધિ લાગુ પડયો છે. નમિતાના શરીરમાં વિટામીન ડીનો સતત અભાવ વર્તાતો હતો. વિટામીન ડી હાડકા માટેનું અતિ મહત્ત્વનું પોષક તત્ત્વ છે. જેના વગર બિલકુલ ન ચાલે.
નમિતાની સારવાર કરતાં ડોક્ટર પણ થોડો સમય તો વિચારમાં પડી ગયા. તેઓ કહે છે કે ''મારી પાસે ઓસ્ટિયોમલાશિયાના પેશન્ટ તો ઘણાં  આવે છે. પરંતુ એ બધા ૬૦ વર્ષથી વધુ વયના હોય છે. ૩૦ વર્ષની યુવાન વયે આ બીમારીનો શિકાર બની હોય તેવી યુવતીનો આ પહેલો કેસ છે. નમિતાના હાડકાંમાં રહેલા ખનિજો  (બોન-મિનરલ ડેન્સીટી)ની ઘનતા માપીને તેમણે એવું નિદાન કર્યું કે 'તેના હાડકાં એટલા બધાં નબળા પડી ગયા છે કે એને જરા સરખો ધક્કો લાગતાં ફેક્ચર થઈ શકે. સ્નાયુઓ પણ શિથિલ થઈ ગયા છે.
 બ્લડ ટેસ્ટ દ્વારા એ પણ ખબર પડી કે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઓછું છે.
ચોંકાવનારી વાત એ છે કે નમિતાનો આ કિસ્સો અપવાદરૃપ કે હજારોમાં એક જેવો નથી. ઉત્તરભારતમાં કરાયેલા વ્યાપક સર્વેક્ષણ પરથી એવું તારણ નીકળ્યું છે કે ભારતના શહેરી વિસ્તારોમા ંવિટામીન ડીની ઓછપ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. વિશ્વની  સરેરાશ કરતાં ભારતમાં કેલ્શિયમની ઉણપ ધરાવનારા કિસ્સાનું પ્રમાણ ૨૦ ટકા વધુ છે. તેમાંય સ્ત્રીઓમાં કેલ્શિયમનું  ધોવાણ વધુ પ્રમાણમાં જણાય છે.જો આ જ ટ્રેન્ડ ચાલતો રહ્યો તો આજની યુવતીઓમાંથી ૫૦ ટકા યુવતીઓ ૬૦ વર્ષની થશે ત્યાં સુધીમાં ઓસ્ટિયોપોરોસીસના સકંજામાં સપડાઈ ચુકી હશે.
નમિતાનું નસીબ એટલું બળવાન હતું કે તેને સમયસર તબીબી સારવાર મળી ગઈ. વિટામીન ડી અને કેલ્શિયમના હાઈડોઝ લીધા પછી બે સપ્તાહમાં તેની સ્થિતિ ખૂબ સુધરી ગઈ. તેના હાડકામાં જાણે નવી શક્તિનો સંચાર થયો હોય તેમ નમિતા ફરી પહેલાં જેવી સામાન્ય જિંદગી જીવવા લાગી.
તબીબો એવું કહે છે કે ઓસ્ટિયોમલાશિયાની બીમારીના પ્રથમ લક્ષણ હાડકાના દુઃખાવા રૃપે જણાય છે. ખાસ કરીને ગરદન, પગ, નિતંબનો ભાગ તથા પાંસળીઓમાં સણકા મારે છે. સ્નાયુઓ શિથિલ થવા લાગે છે. મુંબઈની કેઈએમ હોસ્પિટલ  દ્વારા કરાયેલા એક સંશોધન પ્રમાણે ૧૮૩ સ્ત્રી પેશન્ટોમાંથી  ૮૬ ટકા યુવતીઓમાં વિટામીન ડીની ઉણપ હતી. આ જ રીતે બાળકોમાં પણ વિટામીન ડીની ઓછપ વધુ પ્રમાણમાં દેખાવા લાગી છે.
ડાયાબિટીસની માફક હાડકાની બીમારીનું પ્રમાણ પણ આખા વિશ્વમાં ભારતમાં સૌથી વધુ છે. અસંખ્ય ભારતીયોે  બરડ હાડકાનો અવગુણ વારસામાં લઈને જન્મે છે.
એશિયા ખંડમાં છેલ્લાં દસ વર્ષમાં ઓસ્ટિયોના દર્દીઓની સંખ્યામાં ૨૦૦ ટકા વધારો થયો છે. ભારતમાં પણ આશરે ૧૦ કરોડ વ્યક્તિ આ બીમારીથી પીડાય છે. એક અંદાજ પ્રમાણે દર ત્રણ ભારતીય સ્ત્રીઓમાં એક સ્ત્રી આ રોગની શિકાર બને છે.
ઓસ્ટિયોપોરોસીસ તરીકે ઓળખાતા આ વ્યાધિમાં હાડકાની અંદર વાદળી જેવા અસંખ્ય છીદ્રો પડી જાય છે. આવી વ્યક્તિને જરા સરખો ધક્કો લાગે, ઠોકર લાગતા ગબડી પડે કે લપસી પડે તો એકાદ બે હાડકાં તો ભાંગ્યા જ સમજો. અરે, જોરથી છીંક ખાવા જતાં પાંસળી ભાંગીને કટકા થઈ જવાના  કિસ્સા પણ નોંધાયા છે. એવું પણ નથીકે જાડિયા માણસના વધુ પડતા વજનનો બોજો ન ઝીલી શકવાથી હાડકા નબળા પડી જાય છે. ઓસ્ટિયોપોરોસીસ સૂકલકડી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.
સામાન્ય રીતે યુવક કે યુવતી ૩૦-૩૨ વર્ષના થાય ત્યાં સુધી હાડકાંની મજબૂતાઈ, તેની ઘનતા વધતી રહે છે. આ સમયગાળામાં હાડકાંની કોઈ બીમારી નજરે નથી પડતી. કદાચ એકાદ હાડકું ભાંગે, ફ્રેક્ચર થાય તો પણ બહુ જલદી કેલ્શિયમ અને ફોસ્ફરસ મળીને નવા અસ્થિસર્જનની પ્રક્રિયા ઝટપટ આટોપાઈ જાય છે. પરંતુ ૩૫-૪૦ વર્ષની ઉંમર પછી શરીરના બીજા અવયવો, કોષો, ત્વચા પર સમયનો તકાજો વર્તાય છે તેવી જ રીતે હાડકાનું  'ડિજનરેશન' પણ ધીમી ગતિએ શરૃ થાય છે. એટલે  કે કેલ્શિયમ ઘટવા લાગતા હાડકાંનું ધોવાણ થવા લાગે છે. આ સંજોગોમાં ફ્રેક્ચર થાય તો હાડકું  સંધાતા ઘણો સમય લાગે છે. ક્યારેક તો એક કરતાં વધુ હાડકાં તૂટે છે. ૬૦-૬૫ વર્ષ પછીતો થાપાનું હાડકું તૂટવાના કિસ્સા પણ વધુ બને છે. હીપ જોઈન્ટ (થાપાના હાડકાનો સાંધોે) તૂટે તો પેશન્ટની બૂરી વલે થાય છે. તેને લાંબો સમય પથારીવશ રહેવું પડે છે. વળી થાપાનું હાડકું આ ઉંમરે આપમેળે સંધાતું નથી એટલે શસ્ત્રક્રિયા કરી નવો કૃત્રિમ હીપજોઈન્ટ બેસાડવો પડે છે. પાકટ વયે આ શસ્ત્રક્રિયા કરાવ્યા પછી પણ ઘણાં લોકો સુખથી જીવી શકતા નથી. વાસ્તવમાં આ સર્જરી કરાવનારા ૧૦ ટકા પેશન્ટો એક જ વર્ષની અંદર મૃત્યુ પામે છે.
ભારતમાં હાડકાંની આ બીમારીઓ વધી જવાનું કારણ શું? જવાબમાં તબીબો કહે છે કે શહેરોમાં લોકો બેઠાડું જીવન જીવે છે. વ્યાયામનો સદંતર અભાવ, ખોટી આહાર પ્રણાલિ, સૂર્યતાપનો અભાવ વગેરે કારણસર હાડકાનું ધોવાણ જલ્દી શરૃ થાય છે જેને વારસાગત ઓસ્ટિયોપોરોસીસ થવાનું હોય એને તો કેમે કરીને અટકાવી શકાતો નથી. પરંતુ આ રોગને દૂર જરૃર ઠેલવી શકાય છે. ધૂમ્રપાન અને દારૃનો શોખ પણ ક્યારેક હાડકાની કમજોરીમાં નિમિત્ત બને છે એવું તારણ નવા સંશોધન પરથી નીકળ્યું છે. આ સિવાય કેન્સર, લોહીની બીમારી, થાઈરોઈડ, સંધિવા જેવી બીમારીના ઈલાજ માટે વપરાતી કોર્ટિઝોન પણ હાડકા નબળા પાડવા માટે કારણભૂત બને છે.
સ્ત્રીઓમાં માસિકસ્ત્રાવનું પ્રમાણ અસાધારણ વધારે હોય, અથવા બીજી કોઈ દવાની આડઅસર રૃપે એસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ ખૂબ ઘટી જતાં હાડકાનું ધોવાણ ચાલુ થાય છે. પાચનશક્તિ મંદ હોય અથવા  ખાણીપીણીની સ્ટાઈલ ખોટી હોય તો શરીરને જરૃરી કેલ્શિયમ મળતું નથી. તેને કારણે પણ ઓસ્ટિયોમલાશિયા કે ઑસ્ટિયોપોરોસીસ જેવા વ્યાધિ લાગુ પડે છે.
સનશાઈન વિટામીન તરીકે વધુ ઓળખાતું વિટામીન ડી આપણા અસ્થિના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનું છે. સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષીને આપણી ત્વચા વિટામીન ડી બનાવે છે. સવારનો અડધા કલાકનો તડકો શરીરમાં વિટામીન ડીનો સ્ટોક ભરપાઈ કરવા માટે પૂરતો છે. જો કે આ રીતે સૂર્યપ્રકાશ નિયમિત લેવાવો જોઈએ. એક મિલિગ્રામના સોમા હિસ્સા જેટલું વિટામીન ડી પણ સ્વાસ્થ્યની સુખાકારી માટે પર્યાપ્ત છે. આહારમાં દૂધ અને ઈંડાની જરદી સૌથી  વધુ વિટામીન ડી ધરાવે છે. આ સિવાય સાલમોન, ટયૂટા અને સાર્ડીન માછલીઓના તેલમાં પુષ્કળ વિટામીન ડી હોય છે. ગોવાના ખ્રિસ્તીઓ આ માછલીઓનો આહારમાં વધુ ઉપયોગ કરતા હોવાથી હાડકાની બીમારીનું પ્રમાણ ત્યાં સૌથી ઓછું છે.
દૂધ અને ઈંડા ન પોષાતા હોય તેવી વ્યક્તિ પણ સાવ મફતમાં કુદરત જેની લહાણી કરે છે તે સૂર્યપ્રકાશ નિયમિત લેવાથી હાડકાને  હેમખેમ રાખી શકાય છે.
મોટી મોકાણ એ છે કે આપણા દેશમાં ઓસ્ટિયોમલાશિયા કે અન્ય હાડકાની બીમારીની સમયસર ભાળ મળે તેવા નિદાનયંત્રની પણ ટંચાઈ છે. હાડકાની નબળાઈ પારખી શકે તેવાં આખા દેશમાં માત્ર ૧૫ બૉન ડેન્સિટોમીટર છે. કેટલીક સ્ત્રીઓના કટિપ્રદેશના એક્સરે લીધા પછી એ ભાગના હાડકામાં મોટી તિરાડોે જણાયા બાદ તેમને આ બીમારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. સાથે તબીબોએ એવી ચેતવણી પણ આપી છે કે ઘરકામ અને ટેલિવિઝન સામે બેસી રહેવામાં વ્યસ્ત સ્ત્રીઓ ખુલ્લા પ્રકાશમાં બહાર નહીં નીકળે, વ્યાયામ નહીં કરે તો તેમને હાડકાના એક યા બીજા વ્યાધિના આગળ જતાં શિકાર બનવું પડશે. કેટલીક વ્યક્તિની ચામડીની નીચેના રંગદ્રવ્ય મેલાનિન જ એવા ખામીયુક્ત હોય છે કે જે સૂર્યપ્રકાશ મળવા છતાં વિટામીન ડીને પામી નથી શકતા. વળી આપણાં આહારમાં કેલ્શિયમ આપતી વાનગીઓનો બહુ અભાવ જોવા મળે છે. એક પુખ્તવયની વ્યક્તિએ રોજ સરેરાશ ૧૫૦૦ મિલિગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ તેના બદલે એ સરેરાશ માત્ર ૫૦૦ મિલિગ્રામ જેટલી છે. કેલ્શિયમની આવી અછતને કારણે જ ઓસ્ટિયોપોરોસીસ થાય છે.વળી શરીરમાં વિટામીન ડી ઓછું હોય તો એ કેલ્શિયમનું પાચન કરવાની આંતરિક શક્તિ ઘટાડે છે. તેથી કેલ્શિયમ અને વિટામીન ડી બેઉ શરીરને પર્યાપ્ત માત્રામાં મળે છે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. પોષણશાસ્ત્રીઓએ જણાવ્યા પ્રમાણે દરેક વ્યક્તિએ દૈનિક આહારમાં દૂધનો વપરાશ વધારવો જોઈએ. દૂધ ન ભાવે તો દહીં, ચીઝ, માખણ, પનીર ખાવ. આમ એક યા બીજી રીતે શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી મળતાં રહેશે તો હાડકા આપોઆપ હેમખેમ રહેશે.
-Gujarat Samachar