20130529

શરીરની તંદુરસ્તી ... (દેશી ઔષધિય-ઓસડિયા) ...

શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય … ... દાદીમાં ના ઘરેલું નુસખા :પહેલાં શરીરને તંદુરસ્ત રાખનારા ખોરાકની વાત કરીશું.


૧. ]  અળસી :

 
adsi


૧૦૦ ગ્રામ શેકેલી અળસીમાં ત્રણ અખરોટનો ભુકો અને કાળાતલ ૧૦૦
ગ્રામ નાખી તૈયાર કરેલ મુખવાસ દિવસમાં બે વખત જમ્યા પછી લેવાનું રાખો.
આના ફાયદા જુઓ ફક્ત બે માસમાંતમારા લોહીનું કુલ કોલેસ્ટ્રોલ ઘટશે.
એલ.ડી.એલ. (ખરાબ કોલેસ્ટ્રોલ)નું પ્રમાણ ઘટશે.  લોહીમાં ટ્રાઈગ્લીસરાઈઝનું
પ્રમાણ ઘટશે.   તમારું બી.પી. ઘટશે.  તમારા લોહીના પ્લેટલેટ્‌સ (જેને કારણે
લોહીની નળીઓમાં ક્લોટ થાય છે) ને ચીકણા થતા અટકાવશે અને તેથી હાર્ટ એટેક
નહીં આવે.   સ્ત્રીઓ માં થતા સ્તનના કેન્સર ને પણ થતા અટકાવશે.



૨.] લીલી ચા :


 
green tea.1

દોઢ કપ જેટલું પાણી ઉકાળી તેમાં એક ચમચી ‘ગ્રીનટી’ નાખી ૧૦ -
મિનિટમા તે  ઠંડુ થવા મુકી રાખો.   પછી ગાળ્યા વગરની તારીને કપમાં ભરો.  ધીરે
ધીરે પીઓ.   આગ્રીન ટી માં રહેલા તત્વોથી હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવ
થશે.   આ ઉપરાંત સ્ત્રીઓમાં સ્તન ના  કેન્સર થવાની શક્યતા એકદમ ઓછી થઈ  જશે.



૩.] અખરોટ :
 
akharot

એફ.ડી.એ. જેને પ્રયોગોથી માન્યતા આપી છે  તે અખરોટના પાંચ નંગનો
ઉપયોગ રોજ કરવાથી તેમાં રહેલા ઓમેગા - ૩  અને  ઓમેગા-૬  ફેટી એસીડને કારણે
હૃદય રોગ સામે રક્ષણ મળશે.



૪.] બ્રોકોલી :
 
brokli

પરદેશમાં મળતી અને લીલા કલરની ફલાવરના ગોટા જેવી લાગતી
‘બ્રોકોલી’  હવે ભારતમાં પણ મળે છે. પોષક તત્વોથી ભરપૂર એવી
બ્રોકોલીમાં  વિટામિન-બી-૬, ફોલીકએસીડ, વિટામિનકે, પોટાશ્યમ,  કેલ્શિયમ
ભરપુર પ્રમાણમાં છે.   તેમાંરહેલા ફાયટો કેમીકલ્સ ઇન્ડોલ-૩ કાર્બોનોલ અને
સલ્ફોટાફેન નામના તત્વોથી તે  નિયમિત લેવાથી કેન્સરના રોગ સામે રક્ષણ મળે
છે.



૫.] બ્લ્યુબેરી :

 
blue berry


બ્લ્યુબેરી (ફાલસા જેવા ભુરા રંગના ફળ) ફળોમાં આ શ્રેષ્ઠ ફળ ગણાય છે.
કારણ કે, તેમાં ખુબ પ્રમાણમાં એન્ટી ઓક્સીડન્ટ છે.   (વિટામીન-એ, વિટામીન-સી,
સેલેનીયમ  વગેરે) આને કારણે ચેપી રોગો થતા નથી એટલું જ નહીં તેના ઉપયોગથી
કુલ કોલેસ્ટ્રોલ ઓછું  થાય  છે.  ડાયાબીટીસ  કાબુમાં આવે છે.  ઉંમર વધવાના
પ્રોસેસ (કાર્ય) ને કાબુમાં રાખે છે.  પેશાબના દર્દોમાં  રાહત  આપે  છે.
આંખોનું રક્ષણ કરે  છે.



૬.]  હળદર :

termerric
 


મસાલામાં હળદર તે  કેન્સરના દર્દો તેમજ ચામડીના  દર્દો સામે રક્ષણ
આપે છે.   યાદ શક્તિ  સુધારે છે. તજથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. લોહીમાં
સાકરને કાબુમાંરાખે  છે. આદુના ઉપયોગથી સોજાનું પ્રમાણ ઓછું થાય છે.
કેન્સર સામે રક્ષણ મળે છે.



૭.] દાડમ :
 
dadam.1

દાડમ  હૃદયરોગ  સામે  રક્ષણ આપે છે.   કોલેસ્ટ્રોલ  ઓછું  કરે છે.   બી.પી.ને
કાબુમાં રાખે છે.   કેન્સર સામે રક્ષણ આપે છે.



૮.]  ડાર્કચોકલેટ :


 
dark choclate

ડાર્કચોકલેટ હાર્ટ એટેક અને કેન્સર સામે  રક્ષણ આપે  છે.  કારણ તેમાં
ફ્‌લેવેમોઈડ્‌ઝ છે.   જેને  શ્રેષ્ઠ એન્ટીઓક્સીડન્ટ કહેવાય છે.   કોકો પાવડર
અને ચોકલેટને શ્રેષ્ઠ ખોરાક  ગણવામાં  આવે છે.



૯.] મધ :


madha


મધ પાચન તંત્રના રોગો સામે મધનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય   છે. તે જંતુધ્ન છે.
(એન્ટીબેક્ટેરીયલ -એન્ટીવાઈરલ) મધથી શક્તિ મળે છે.   કસરત કર્યા પછી લીંબુ
અને  મધનું શરબત શરીરનો થાક ઉતારી દે છે.   રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉંઘ
નિરાંતે આવે છે.



૧૦.] કડવું કરિયાતું: (કડુ કરિયાતું) ...

 
kariyatu

 


દેશી કડવું કરિયાતું એ તૃષા, કફ, પિત્ત, તાવ, કોઢ, ખંજવાળ, સોજા, કૃમિ, દાહ, શૂળ, પ્રમેહ, ઉદર રોગ વગેરે માં ઉપકારક છે.



સાભાર : લેખ પ્રાપ્તિ.: અશ્વિન શાહ - (માંજલપુર - વડોદરા-) ન્યૂજર્સી. 
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com
 

 




સ્વસ્થતા માટે જરૂરી એવા ગુણકારી ઔષધિયોનો ખજાનો.-(ભાગ -૧)...


પરવળ ...

parval

આયુર્વેદિય ઔષધ 'પટોલ' એ જ આપણા પરવળ. આ પરવળ શાકોમાં શ્રેષ્ઠ ગણાય છે. દક્ષિણ ભારતમાં સર્વત્ર થાય છે.પરવળનો વેલો ટીંડોરા જેવો, પરંતુ પાંદડાં લાંબા હોય છે. પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે. પરવળનું શાક ઘીમાં બનાવેલું પૌષ્ટિક અને સર્વ રોગોમાં ઉત્તમ પથ્યકર છે. પરવળ પાચક, પથ્ય, સ્વાદિષ્ટ, લઘુ, હૃદયરોગોમાં હિતકર, પિત્તને શાંત કરનાર, વાજીકર છે તથા ઉધરસ, રક્ત દોષ, જ્વર, ત્રિદોષ અને કૃમિઓનો નાશ કરે છે.  તેનાં પાંદડાં પિત્ત નાશક, વેલો કફ નાશક અને મૂળ રેચક છે.


નાળિયેર

coconut
આપણા ગુજરાતમાં શોઢલ નામના વૈદ્ય થઈ ગયા. તેમના ગદનિગ્રહ નામના ગ્રંથમાં લખાયું છે કે, ક્ષયરોગમાં માથું દુઃખે તો નાળિયેરનું દૂધ અથવા નાળિયેરનું પાણી સાકર નાખી પીવું જોઈએ. ભાવમિશ્રે સૂર્યાવર્ત, આધાશીશી- માયગ્રેનમાં પણ આ ઉપચાર જ સૂચવ્યો છે. પેશાબ અટકીને આવતો હોય ટીપે ટીપે ઊતરતો હોય, દાહ- બળતરા થતી હોય, એને માટે તથા રક્તપિત્તમાટે યોગરત્નાકર ગ્રંથમાં એક પ્રયોગ આપવામાં આવ્યો છે. નાળિયેરના પાણીમાં ગોળ અને ધાણાનું ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવા આપવું.


કોકમ

kokam

એના ઝાડ કોંકણ અને કર્ણાટકમાં પુષ્કળ થાય છે. તેનાં ફળોને 'કોકમ' કહે છે. તેનો રંગ રાતો અને આકાર નારંગી જેવોહોય છે. તેના બીયાંમાંથી તેલ નીકળે છે તેને 'કોકમનું તેલ' કહે છે.  તે ખાવામાં અને ઔષધમાં વપરાય છે. તેના ફળની છાલ સૂકવી કોકમ બનાવાય છે. જે આમલી કરતાં પથ્ય કારક છે. કોકમ મધુર, રુચિકારક, ગ્રાહક, તીખા, લઘુ, ઉષ્ણ, ખાટા,તૂરા, રુક્ષ અને ભૂખ લગાડે છે. કફ, વાયુ, તરસ, આમાતિસાર, સંગ્રહણી, આમવાત, પિત્ત, મસા, શૂળ, વ્રણ, કૃમિ, હૃદયરોગ અને વાતોદર નો નાશ કરે છે.


ફુદીનો

fudino

આયુવેર્દીય ઔષધ પૂતની કે પુદીનને ગુજરાતીમાં આપણે ફુદીનો કહીએ છીએ. પુદીન અથવા ફુદીનો એ તુલસીની જ એક જાત છે અનેતેના છોડ ઉગાડવાથી સર્વત્ર થાય છે. તેના પાન ગોળ અને નાના હોય છે. ફુદીનો અજીર્ણનાશક, પાચક અને મોઢામાં અમી-પાણી લાવે છે. તેની સુગંધ જ રુચિઉત્પન્ન કરી ભૂખ લગાડે છે. ફુદીનો સ્વાદિષ્ટ રુચિકર, ગુરુ,હૃદયને માટે હિતકર-સુખાવહ છે. મળ-મૂત્રનું સ્થંભન કરે છે. તે કફ, ઉધરસ, મદ, અગ્નિમાંદ્ય, અતિસાર અને કૃમિનાશક છે.


કેળ
ked

અનેક દેશોમાં કેળ થાય છે. આખા ભારતમાં કેળ થાય છે, પણ દક્ષિણ ભારતમાં સૌથી સારી અને પુષ્કળ થાય છે. કેળની ૨૦ જાત છે. ગોમાંતક, કર્ણાટકી, વસઈના પ્રાંતોમાં કેળાં પુષ્કળ થાય છે. કેળ શીતળ, ગુરુ, વૃષ્ય, સ્નિગ્ધતથા મધુર છે અને પિત્ત, રક્તવિકાર, યોનિદોષ, પથરી અને રક્તપિત્તનો નાશ કરે છે.  પાકેલાં કેળાં બળકર, મધુર, ભારે, શીતળ, વૃષ્ય,શુક્રવર્ધક તથા માંસ, કાંતિ, રુચિક, પચવામાં ભારે, કફકારક, તૃષા ગ્લાનિ, પિત્ત, રક્તવિકાર, મેહ, ક્ષુધા અને નેત્રરોગ નો નાશ કરે છે.

તાંદળજાનો ઉપયોગ

tandadjo

આપણે ત્યાં તાંદળજાની ભાજી બારે માસ મળે છે, ખવાય છે. આ ભાજી વિષ હરનારી, દવાની આડઅસર દૂર કરનારી છે. ઉગ્ર દવાથી એસિડિટી કે અલ્સર થાય તો આ ભાજીનો એકદમ તાજો રસ સવારે, બપોરે અને રાત્રે પીવો જોઈએ. સ્ત્રીઓને થતા પ્રદર અને લોહીવામાં તાંદળજાનો રસ ચોખાના ઓસામણમાં મિશ્ર કરી પીવો. ન ભાવે તો સાકર મિશ્ર કરાય. તાંદળજાનો રસ ખરજવા પર લગાડવાથી મટે છે. ધાવણ વધારનાર હોવાથીતાંદળજાનો રસ પ્રસૂતાએ પીવો.

લસણ
lasan-garlic

આયુર્વેદના શ્રેષ્ઠ ઔષધોમાં લસણની ગણતરી થાય છે. રસોન, લશુન, મ્લેચ્છકંદ વગેરે લસણના સંસ્કૃત નામો છે. 'લશુન અશ્નાતિહૃદરોગાદિન અશનુતેવારસાયનાદિ ગુણાન યશ ભોજને.' હૃદયના રોગોને જે ખાઈ જાય છે, રસાયનાદિ ગુણોને જે હજમ કરે છે, તેથી લશુન. લસણ બે જાતનું થાય છે (૧) એક કળીનું (૨) સાદું લસણ વાયુ પ્રકોપના અને હૃદયના રોગોમાં સારું પરિણામ આપે છે. લસણ મેધાવર્ધક, વર્ણ સુધારનાર, આંખો અને હૃદયને હિતકર, ગેસ, અજીર્ણ, મંદાગ્નિ,કબજિયાત, કફ, શ્વાસ, શરદીમાં હિતકર છે.

શેરડી

sherdi

હિમોગ્લોબિન વધારે, કિડની તેજ કરે મેડિકલ સાયન્સમાં પણ શેરડીનુ મહત્વ જણાવ્યું છે. જોન્ડિસ (કમળા) થાય ત્યારે માણસના શરીરમાં ડી હાઇડ્રેશન (પાણી ઘટીજવું) ન થાય તે માટે શેરડીને ચાવીને ખાવાની હોય છે તેનાથી જરૂરી ગ્લુકોઝ મળી જતાંપાણીની ઉણપ નથી આવતી. તેમજ હિમોગ્લોબિનનો વધારો કરે છે., કિડની ફંકશન તેજ કરે છે તેમજ શુક્ર કોષમાં વધારો થાય છે તેમ ડો. ધીરજભાઇ તાડાએ જણાવ્યું હતું.

કારેલા

karela

આયુર્વેદિય ઔષધ કારેલીના વેલા થાય છે. તેનાંફળો એ જ કારેલા. એનું શાક થાય છે અને ઔષધમાં વપરાય છે. કારેલા ઘણા કડવા હોય છે. ભારતમાં સફેદ અને લીલા બે જાતનાકારેલા થાય છે. કારેલા કડવા, સહેજ તીખટ, અગ્નિદીપક,વીર્ય ઘટાડનાર, મળને તોડનાર, રુચિકારક, પચવામાં લઘુ, વાતલ અને પિત્તનાશક છે.  તે રક્તદોષ, અરુચિ, કફ, શ્વાસ,વ્રણ, ત્વચા રોગ, કફ, કૃમિ, કોઢ, કુષ્ઠ, જ્વર, પ્રમેહ, આફરો અને કમળાનો નાશ કરે છે. ડાયાબિટીસમાં ખૂબ હિતાવહ છે.
  

આમલી

aamli


આમલી જ્યારે પાકે ત્યારે મધુર, મળ સરકાવનાર, હૃદયનેમાટે સારી, ખાટી, મળને તોડનાર, રુચિકારક, ભૂખ લગાડનાર,ઉષ્ણ, રુક્ષઅને બસ્તિશોધક છે તથા વ્રણ-ચાંદા, કફ, વાયુ અને કૃમિનો નાશ કરેછે. નવી આમલી વાયુ અને કફ કરનાર છે. એક વર્ષ જૂની આમલી વાયુ અને પિત્તશામક હોય છે.આમલીનાં ફૂલ તુરા, ખાટા, સ્વાદિષ્ટ, વિશદ, જઠરાગ્નિ પ્રદીપક તથા વાયુ, કફ અને પ્રમેહનાશક છે. કાચી તો વાયુ અને પિત્તકારક છે.

કાકડી-કર્કટી
kakadi

આયુર્વેદિય ઔષધ 'કર્કટી' એ જ આપણી 'કાકડી.' આ કાકડીની ઘણી જાતો છે. કાકડીનુંશાક, રાયતું અને વડી થાય છે. કાકડી ઠંડી છે અને ઘણી ખાવાથી બાધક છે. કાકડી મધુર, સ્વાદિષ્ટ, રુચિકર, શીતળ, પચવામાં હલકી, મૂત્રલ એટલે કે મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, એ સહેજ તુરી, કડવી, તીખી, પાચક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, અવૃષ્ય અને ગ્રાહિણી છે. કેટલાકને ઠંડી હોવા છતાં પિત્ત કરે છે. તે મૂત્રાવરોધ, વમન, દાહ અને શ્રમનો નાશ કરે છે. પાકી કાકડી રક્ત દોષકર, ઉષ્ણ અને બળકર છે.


દ્રાક્ષ

draksh

આયુર્વેદીય ઔષધોમાં દ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે.દ્રાક્ષના વેલા હોય છે તેને માંડવા પર ચડાવવામાં આવે છે. એના વેલા વાવ્યા પછી ત્રણવર્ષે ફળે છે. લીલી, કાળી અને ધોળી એમ ત્રણ જાતની દ્રાક્ષ થાય છે. સફેદ દ્રાક્ષ મધુર અને મોંઘી હોય છે. આપણે ત્યાં જે દ્રાક્ષ થાય છે, તે લીલી જ ખપી જાય છે. દ્રાક્ષ સૂકવીને પણ વેચે છે. બે દાણા, મુનક્કા અને કિસમિસ એવાસૂકી દ્રાક્ષના નામ છે. બે દાણા સફેદ હોય છે, એ લાંબી અને બી વગરની હોય છે.કિસમિસ બે દાણા જેવી પણ નાની હોય છે. મુનક્કા કાળી અને નાની હોય



કપાસ

kapas

આયુર્વેદ ઔષધ 'કાર્ર્પાસ' એ જ આપણો 'કપાસ.' એ વર્ષાયુ છોડ બે-ત્રણ હાથ ઊંચા થાય છે. તેની ૧૧ જાત અને સેંકડો ઉપજાતિ છે. કપાસના જીંડવા પાકે ત્યારે તે સ્વયં ફાટે છે અને તેમાંથી રૂ નીકળે છે. આ રૂ વચ્ચે કપાસના બીજ હોય છે. તેને કપાસિયા કહે છે. તેમાંથી તેલ નીકળે છે. જે ખાવામાં અને ઔષધમાં વપરાય છે. કપાસના જીંડવા મીઠા, પૌષ્ટિક,મૂત્રવર્ધક, રક્તવર્ધક અને કર્ણનાદ મટાડે છે.  કપાસિયા બીજ ધાવણ વધારનાર, વજન વધારનાર, સ્નિગ્ધ અને મધુરછે.

જવ

આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછીતીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. ડાયાબિટીસમાં એક ટાઈમ જવની ભાખરી જ ખાવી અથવાઘઉં-જવની સરખા ભાગે રોટલી ખાવી. એક ચમચો જવનો ભૂકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મૂત્ર માર્ગની પથરી, સોજા, અપચો મટે છે.

તજ
tuj

આપણા મલબારમાં તથા ચીન, જાવા, સુમાત્રા અને શ્રીલંકામાં તજના મધ્યમ કદનાં વૃક્ષો થાય છે.  શ્રીલંકામાં તો તજનાં વૃક્ષોના જંગલો જ છે. તજનાં વૃક્ષો ત્રણ વર્ષના થાય એટલે એની  છાલ કાઢી તડકે સૂકવવામાં આવે છે. આ સૂકાયેલી છાલ એ જ તજ. તેની ઝૂડીઓ વેચાય છે. તજ તીખી, પિત્તલ, મીઠી, કંઠશુદ્ધિ કરનાર, લઘુ, રુક્ષ, સહેજ જ કડવી, સ્વાદિષ્ટ,બળકર, બસ્તિ શુદ્ધકર તથા ઉષ્ણ છે. કફ, શરદી, શ્વાસ, હૃદયરોગ, સળેખમ તથા કૃમિનાશક છે. તે શુક્ર અને ધાતુવર્ધક છે.

ગુલાબ
gulab

આપણા દેશમાં ગુલાબ સર્વત્ર થાય છે. એના છોડને કાંટા આવે છે. ઉત્તમ ગુલાબ અરબસ્તાન, ઇરાન અને તુર્કસ્થાનમાં થાય છે. ગુલાબની ગુલાબી, પીળી, સફેદ, રાતી વગેરે જાતિ છે. ગુલાબનાં ફૂલોનું ગુલાબજળ અને અત્તર થાય છે. ગુલાબની કળીઓ ખાવાથી મળ સરળતાથી ઊતરે છે. એનાં ફૂલોની પાંખડીઓનો ગુલદંક થાય છે. ગુલાબનું શરબત પણ થાય છે. ગુલાબજળમાં સાકર નાખી શરબતી પાક કરવાથી સુવાસિત શરબત થાય છે. આ શરબતના સેવનથી આંતરિક ગરમી અને બળતરા શાંત થાય છે.

ચંદન
chandan

આયુર્વેદમાં સુખડને 'ચંદન' કહે છે. આ ચંદન કડવું, તીખું, તૂરૂ, શીતળ- ઠંડું, વાજીકરણ, કાંતિવર્ધક, કામવર્ધક, સુગંધિત,રુક્ષ, આનંદકર, લઘુ તથા હૃદયને હિતકારી છે. તે પિત્ત, ભ્રમ, ઊલટી, તાવ, કૃમિ, તૃષા, સંતાપ, મુખ રોગ, બળતરા, શ્રમ,શોષ, વિષ, કફતથા રક્તદોષનો નાશ કરે છે. જે ચંદન ગાંઠવાળું, જડ, સફેદ, ઘસવાથી પીળું, સુગંધિત, કાપવાથી લાલ,સ્વાદે કડવું, શીતળ હોય તે ઉત્તમ જાણવું. ઔષધમાંતેનો ઉપયોગ કરવો.

ચંદનાસવ

આયુર્વેદનું એક પ્રસિદ્ધ દ્રવ ઔષધ છે 'ચંદનાસવ'. ઉત્તમ દ્રવ ઔષધોમાં તેની ગણત્રી થાય છે. ચંદન મુખ્ય ઔષધ હોવાથી તેનું નામ ચંદનાસવ અપાયું છે. આ ચંદનાસવચારથી છ ચમચીની માત્રામાં એમાં એટલું જ પાણી મેળવી સવાર-સાંજ પીવાથી હૃદય માટે હિતકારક, જઠરાગ્નિ સંદિપક, બલ્ય એટલે કે બળ આપનાર, શરીરને પુષ્ટ કરનાર,શુક્રમેહનો નાશ કરનાર. શરીરની આંતરિક ગરમીને દૂર કરનાર તથા મૂત્રમાર્ગ માટે હિતકર છે. મગજને શાંત રાખે છે.

ગંઠોડા
ganthoda

આયુર્વેદિય ઔષધ 'પીપ્પલીમૂલ' એ જ આપણા 'ગંઠોડા'. આ ગંઠોડા એ અનિંદ્રાનું ઉત્તમ ઔષધ છે. આયુર્વેદિય મતે વાયુનો પ્રકોપ થવાથી ઊંઘ ઊડી જાય છે. અને કફનો પ્રકોપ થવાથી ઊંઘ વધારે આવે છે. વાયુની શાંતિ માટે અને કફના શમન માટે ગંઠોડા ઉત્તમ છે. ગંઠોડાનું બારીક ચૂર્ણ પા થી અડધી ચમચી જેટલું એનાથી બમણા ગોળ સાથે ખૂબ ચાવીને રાત્રે જમ્યા પછી ખાવું અને ઉપર ભેંસનું દૂધ પીવું. આ ઔષધ ઉપચારથી ઊંઘ સારી આવે છે. કફના રોગોમાં ખૂબ રાહત થાય છે.

કાળીજીરી
kadijiree

આયુર્વેદિય ઔષધ 'અરણ્યજીરક' જેને ગુજરાતમાં કાળીજીરી કહે છે. તેના છોડબે-ત્રણ હાથ જેવડા સીધા જ વધે છે. તેના છોડના દાંડાને જીંડવા આવે છે. તેના રુંછામાંએ કાળીજીરી હોય છે. તેનો ઉત્તમ ગુણ કૃમિનાશક છે. મોટાએ અડધી ચમચી રાત્રે લેવાય.  બાળકને પાંચથી સાત ચોથાભાર રાત્રે અપાય. કાળીજીરી ઉષ્ણ, તુરી, તીખી અને સ્થંભક છે તથા વાયુ, વ્રણ અને કફને મટાડે છે. કાળીજીરીની રાખ તેલમાં નાખીચોપડવાથી ખરજવું મટે છે.

ઈસબગુલ

isabgul

ઈસબગુલ એ જ આપણું ઓથમીજીરું. મૂળ મિસર દેશનું વતની હવે ઉત્તર ગુજરાતમાં ખૂબ થાય છે. ઊંઝામાં તેનું મોટું માર્કેટ છે. * જ્વરાતિસાર, રક્તાતિસાર, જીર્ણાતિસાર, મસા, કબજિયાત, રક્તાર્શ વગેરેમાં એકથી બે ચમચી ઈસબગુલ રાત્રે અથવા સવારે લેવાથી ફાયદો થાય છે. મળ તકલીફ વગર સરળતાથી ઊતરે છે. * ઈસબગુલ અને ખડી સાકર એક એક ચમચી ચાવીને ખાવાથી બાળકનો રક્તાતિસાર અને આમાંશ-મરડામાં ફાયદો થાય છે.

સર્પગંધા

surpgandha

ઔષધનું નામ છે. 'સર્પગંધા'. આખા ભારતમાં આ દવા થાય છે.  સર્પગંધાના છોડને લાલ ફૂલો આવે છે અને ઔષધમાં તેના મૂળ વપરાય છે. જે કડવા હોય છે. આમૂળ લોહીના ઊંચા દબાણમાં, ગાંડપણમાં, અનિંદ્રામાં ખૂબ જ ઉપયોગી છે.હાઈ બ્લડપ્રેશરમાં ઉપયોગી હોવાથી ઘણી ફાર્મસીઓ સર્પગંધા ટેબ્લેટ બનાવે છે. સર્પગંધા ઉત્તેજના શામક હોવાથી ઊંઘ સારી આવે છે. લો બ્લડપ્રેસરના દર્દીએ આ દવા અનિદ્રા હોય તો પણ લેવી નહીં. ગર્ભાવસ્થામાં તેનો ઉપયોગ કરવો નહીં.

દાડમ

dadam.1

એક કપ દાડમનો રસ પીવાથી હૃદયને હિતકર બને છે. દાડમના ફળની છાલનું ચૂર્ણ ખાવાથી ઝાડા મટે છે. દાડમ ફળની સૂકી છાલનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે. દાડમાદિ ચૂર્ણ એક ચમચી જેટલું સવાર-સાંજ લેવાથી ભૂખ સારી લાગે છે.આહાર પચી જાય છે. દાડમનો અને ધ્રોનો રસ નાકમાં પાડવાથી તરત નસકોરી બંધ થાય છે. દાડમના રસમાં સાકર નાખીને પીવાથી પિત્તના રોગો શાંત થાય છે. છાતીમાં દુઃખતું હોય તો દાડમ ખાવું.


ચોખા

chokha-rice

બધી જાતના રોગોમાં સાઢી ચોખાની ખીચડી ખાઈ શકાય. જોડાયાબિટીસ હોય તો ચોખાનો વધારે ઉપયોગ કરાય નહીં. જો ધોળા ચોખાના ધોવરામણમાં સાકર અને સુરોખાર નાખી અપાય તો મૂત્ર વિરેચન થાય છે. સૂર્યોદય પહેલાં ચોખાની ધાણી જોમધ સાથે ખવાય તો આધાશીશી મટે છે. આંતરિક બળતરા શાંત કરવા ચોખાનું ધોવરામણ સાકરનાખી પીવું. સૂર્યોદય પહેલાં ઘી અને સાકર સાથે બનાવેલ દૂધપૌંઆ ખાવાથી ઉગ્ર અમ્લપિત્ત શાંત થાય છે.

મહુડો

mahudo


આયુર્વેદિય મતે મહુડાનાં ફૂલ સ્વાદમાં મધુર, પચવામાં ભારે, ઠંડા, પુષ્ટિકર્તા, બળ તથા વીર્યવર્ધક, વાયુ અને પિત્તનો નાશ કરનારાછે. આ મહુડાના ફૂલમાંથી ગુલકંદ બનાવાય છે. મહુડાનાં ફૂલ અને સાકર સરખા વજને લઈ ખૂબમસળી કાચની બરણીમાં ભરી તેને એક મહિનો તડકામાં મૂકવાથી મહુડાનાં ફૂલનો ગુલકંદ તૈયાર થાય છે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી શરીરની આંતરિક ગરમી, મૂત્રદાહ, પૂયમેહ, મંદ જ્વર, અગ્નિમાંદ્ય, રક્તબગાડ, મૂત્રાવરોધ મટે છે.

ધરો-દુર્વા

dharo-durva

આયુર્વેદિય ઔષધ 'દૂર્વા' એ જ આપણી 'ધરો.' ધરો એકજાતિનું તૃણ-ઘાસ છે. ધરોનો ઉપયોગ દેવપૂજામાં થાય છે. ગણપતિ પૂજનમાં અને ચોપડાપૂજનમાં તો ધરો અવશ્ય જોઈએ જ. ધરોનો ઔષધમાં પણ બહોળો ઉપયોગ થાય છે. ગુણકર્મનીદૃષ્ટિએ ધરો તૂરી, મધુર, શીતળ તથા તૃપ્તિકારક છે તથા પિત્ત, તૃષા, દાહ, ઊલટી, ઊબકા, રક્તદોષ, ત્વચા વિકારો, શ્રમ, મૂર્છા, કફ, અરુચિ, રક્તપિત્ત, અતિસાર, તાવ, અજીર્ણ અને પાચન રોગોમાં હિતકર છે.

હરડે
harde

આયુર્વેદમાં સાત પ્રકારની હરડેનું વર્ણન કરાયું છે. જે હરડે નવી, સ્નિગ્ધ, વજનદાર અને પાણીમાં નાખતાં ડૂબીજાય અને વજનમાં બેથી અઢી તોલાની હોય એવી હરડેને ઔષધ માટે શ્રેષ્ઠ ગણાવાય છે.   હરડે ખાવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે એટલે કે ભૂખ લગાડે છે. પીસીનેખાવાથી મળનું શોધન કરે છે. બાફીને-પકવીને ખાવાથી મળને રોકે છે, કબજિયાત કરે છે.  શેકેલી હરડે ત્રણે દોષોનો નાશ કરે છે.  હરડેનો આહાર સાથે ઉપયોગ કરવાથી બુદ્ધિ અને બળ વધારે છે તથા ઇન્દ્રિયોને પ્રસન્ન કરે છે તથા વાયુ, પિત્ત અને કફનો નાશ કરે છે. ભોજન પછી હરડેનો ઉપયોગ કરવામાં આવે તો આહારના દોષો અને વાયુ, પિત્ત અને કફથી થતાં અનેક દોષોનો નાશ કરે છે. હરડે મીઠા-લવણ સાથે ખાવાથી કફના, સાકર સાથે ખાવાથી પિત્તના અને ઘી સાથે ખાવાથી વાયુના તથા ગોળ સાથે ખાવાથી ત્રણે દોષોના રોગો મટાડે  છે.

કરિયાતું
kariyatu.1

આયુર્વેદમાં 'કરિયાતું' ઉત્તમ ઔષધ છે. તેની બે જાત છે, એક દેશીકરિયાતું, બીજું નેપાળી કરિયાતું. નેપાળી વધુ ગુણદાયી હોવાથી ઔષધમાં એ જ વાપરવું. કરિયાતાના છોડ નાના હાથ દોઢ હાથ ઊંચા થાય છે. તેનાં પાન નાના સરખા લાંબા હોય છે. તેનો છોડ સુકાયા પછી ડાંખળા ઔષધમાં વપરાય છે. કરિયાતું કડવું, વાતલ, વ્રણ રોપણ, સારક, શીતળ,પથ્યકર, લઘુ અને રુક્ષછે. એ તૃષા, કફ, પિત્ત, તાવ, કોઢ, ખંજવાળ, સોજા, કૃમિ, દાહ, શૂળ, પ્રમેહ, ઉદરરોગ વગેરેમાં વિભિન્ન રીતે પ્રયોજાય  છે.


- વૈદ્ય મનુભાઈ ગૌદાની
સાભાર : સંદેશનાં સૌજન્યથી....
સંકલન-સંલેખ પ્રાપ્તિ  : પૂર્વી
 
બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com